વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલ પાસે કાંકરીચાળા ની ઘટનાએ તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.
આ બનાવને લઈને ડીસીપી ઝોન-3 અભિષેક ગુપ્તાએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે કાંકરીચાળાની ઘટના બાદ કોઈ મોટી અશાંતિ કે હિંસક પરિસ્થિતિ સર્જાઈ નથી. પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે અને નાગરિકોએ કોઈ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખવો જોઈએ.
સાથે જ પોલીસે વિસ્તારમા કોમ્બીગ ઓપરેશન હાથ ધર્યું છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે જેથી આવનારા દિવસોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
ડીસીપી અભિષેક ગુપ્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાને ભંગ કરવાનો કોઈ પ્રયત્ન કરાશે તો પોલીસ કડક પગલાં ભરીને કાર્યવાહી કરશે.
આ બનાવ બાદ સ્થાનિકો તેમજ ગણેશ ભક્તોમાં પણ પોલીસની ચુસ્ત કાર્યવાહીથી નિરાશા કરતાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. હાલ તરસાલી વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે.

