Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર વસાહતમાં પાણી ભરાયાં

વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થતાં વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર વસાહતમાં પાણી ભરાયાં, લોકોને નજીકની શાળામાં ખસેડાયા

ઉપરવાસમાં ભારે વરસાદ તથા શહેરમાં ધીમી ધારે સતત વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રવિવારે સવારે વિશ્વામિત્રી નદીની જળસપાટી 22 ફૂટે પહોંચતા ની સાથે જ કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા જલારામનગર વસાહતમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં પ્રવેશતાં તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી સાથે જ અહીંથી લોકોને નજીકની શાળામાં ખસેડાયા છે.અહી ધીમે ધીમે વિશ્વામિત્રી નદીના પાણી આગળ વધી રહ્યા છે જેના કારણે હવે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.લોકોની ઘરવખરી ને નુકસાન સાથે સાથે મગર અને સરિસૃપ જીવોનો ખતરો પણ વધ્યો છે. શાળામાં ખસેડવામાં આવેલ લોકો માટે એનજીઓ તથા સમાજસેવી સંસ્થાઓ દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Related posts

વડોદરા પૂર માંથી બહાર આવી રહ્યું છે ત્યારે શહેરને પુન: ધબકતું કરવા માટે વધુ એક વખત રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરા આવી પહોંચ્યા

admin

વડોદરામાં રાત્રિ દરમિયાન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્વનિ પ્રદૂષણના કારણે અભ્યાસમાં મુશ્કેલી

admin

વડોદરાના વિકાસ માટે મહાનગર પાલિકાના મ્યુ.કમિશનરે વડોદરાનું ૬૨૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજુ કર્યું

admin

Leave a Comment