વડોદરા નગરી હવે ખાડોદરા નગરી બની છે.ત્યારે શહેરના અકોટા વિસ્તારમાં એક જ માર્ગ ઉપર અવારનવાર પડેલા ભુવાઓને કારણે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ યાત્રા યોજી દેખાવો કરવામાં આવ્યા હતા.
અકોટાથી મુજમહુડા જતા રસ્તા પર વારંવાર ચંદ્ર આકારના મોટા મોટા ભુવા પડી રહ્યા છે.જેથી સ્થાનિકો અને રાહદારીઓના જીવના જોખમ રૂપ છે,તે બાબતે જનજાગૃતિ લાવવા અને કુંભકર્ણ નિંદ્રા માણી રહેલા ભ્રષ્ટાચારી તંત્રને જગાડવાના પ્રયાસરૂપે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અકોટા વિસ્તારમાં પડેલા મહાકાય ભુવાથી મુજમહુડા સુધી ઢોલ નગારા સાથે જનજાગૃતિ યાત્રા યોજી હતી.જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષી વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિત કાઉન્સિલરો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી આકરા શબ્દોના પ્રહારો

