વડોદરા શહેરના ખોડિયાર નગર ન્યુ.વીઆઇપી રોડ પર રહેતા અને એસએસજીમાં સારવાર લઇ રહેલા 65 વર્ષીય દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર નામના દર્દી ગત તારીખ 5 નવેમ્બરના રોજ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળ પરના ડી-વન વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા. જ્યાં AC યુનિટ માટે કપાયેલા સળિયાવાળી સ્પેશિયલ રૂમની બારીમાંથી તેમણે કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, તેમનો આબાદ બચાવ થયો હતો અને હાલ તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જો કે, AC યુનિટ માટે કપાયેલા સળિયાવાળી બારી રિપેર ન કરાવી હોવાથી સયાજી હોસ્પિટલના RMOએ મેન્ટેનસ કામ પિઆઇયુ વિભાગનું હોવાનું કહી છટકબારી કરી હતી.

