છોટાઉદેપુર તાલુકાના પુનીયાવાંટ મોડેલ સ્કૂલમાં કોંગ્રેસ પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા એ મોડલ સ્કૂલના રસોડાની મુલાકાત લીધી હતી.રસોડામાં સડેલી શાકભાજી, માર્કા વિનાના મસાલાના પેકેટ મલ્યા હતા. લોટમાં જીવડા પડેલા જોવા મળ્યા હતા. આ શાળાના બાળકોની તબિયત લથડતા ૧૦૦ થી વધુ બાળકો સારવાર હેઠળ છે. સુખરામ રાઠવા એ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. અને આદિવાસીઓ માટે કરોડોના ખર્ચે સારું ભોજન મળી રહે તે માટે ગ્રાન્ટો ફાળવી અને વાપરે છે. પરંતુ પુનિયાવાંટ મોડલ સ્કૂલની અંદર રસોડામાં સડેલી શાકભાજી, માર્કા વિનાના મસાલાના પેકેટ મલ્યા હતા. લોટમાં જીવડા પડેલા જોવા મળ્યા હતા.આ પરિસ્થિતિ સર્જતા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પણ ચોકી ઉઠ્યા હતા. સરકાર શા માટે આવું કરે છે તેવા અનેક સવાલો અહીંયા ઊભા થાય છે. જ્યારે સુખરામ રાઠવા એ મુલાકાત લઈને જિલ્લા કલેક્ટર અને પ્રયોજના વહીવટદાર અને સરકાર આ બાબતમાં ધ્યાને લઈ ભોજન બનાવનાર કોન્ટ્રાક્ટર અને સંચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

