41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

હરિયાળી અમાવાસ્યા નિમિત્તે તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવજી ના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભકતો ઉમટયા

વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવજી મંદિર નું અત્યંત પૌરાણિક મહાત્મ્ય રહેલું છે આ મંદિરે પાંચ અમાસ ભરવાથી ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ થતી હોવાથી શ્રદ્ધા સાથે પ્રતિ અમાસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ કુબેર દાદા ના દર્શનાર્થે ગુજરાત સહિત વિવિધ પ્રાંતમાંથી ઉમટતા હોય છે આજરોજ રવિ પુષ્ય નક્ષત્ર રવિવારની રજા અને હરિયાલી અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓનો મહાસાગર કરનાળી તીર્થમાં છલકાયો છે ગત મોડી રાતથી જ અવિરત પણે શ્રદ્ધાળુઓ પધારી કતારમાં શિસ્ત બદ્ધ રીતે ઉભા રહી દાદા ના દર્શન નો લાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે આજરોજ હરિયાલી અમાસ હોય મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગીરીજી મહારાજે એક વૃક્ષ માતા-પિતા તેમજ કુબેર દાદા ના નામે વાવવા અંગે શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આખાય માસ દરમિયાન પણ શ્રદ્ધાળુઓ કુબેર દાદાના દર્શન પૂજન નો લાભ મેળવવા ઉમટશે


રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

Related posts

ડભોઈ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયતના અંબાવમાં સ્મશાનની ગંભીર ગેરરીતિ બહાર આવતા હડકંપ મચ્યો

admin

ડભોઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહારમાં ભાજપ-એનડીએની ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી.

admin

ચેતન બાલવાડી લેબોટરી નર્સરી સ્કૂલના બાળકોને જૂના વાજિંત્રોની માહિતી આપવામાં આવી

admin

Leave a Comment