છોટાઉદેપુર જિલ્લામાં મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦નું ઉલઘ્ઘન થયું છે. કુકરદા ગામે ૧૨૩૮ એકર જમીન શ્રી સરકાર કરાઇ હતી. તે વખતના જમીનના કબજેદાર ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા જમીન વિગતો સંબંધે પત્રક તથા સોગંદનામું છુપાવાયું હતું. નિયમ વિરુદ્ધ એક જ પરિવારના અલગ અલગ સભ્યોના નામે વર્ષ ૧૯૯૮માં વેચાણ કરાઇ હતી. જિલ્લા કલેક્ટરે એસઆઈટી રચના કરી વેચાણ કરનાર અને હાલના કબજેદાર સામે ફોજદારી કાર્યવાહીની તજવીજ કરી છે. પ્રાથમિક તપાસમાં અન્ય દસ ગામોમાં પણ આવી ૧૫૦ એકર જમીનો હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ જમીન ખરીદતા પહેલા નમૂનો ૬ તપાસી વ્યવહાર કરવા અપીલ કરી છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

