ઉત્તરાખંડમાં બનેલી બસ દુર્ઘટનામાં વડોદરાના એક શ્રદ્ધાળુનું દુર્ભાગ્યે મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાજવાડા ખત્રી પોળમાં નિવાસ કરતા પાર્થ સારથી જોશી ઉત્તરાખંડમાં આયોજિત એક ધાર્મિક શિબિરમાં ભાગ લેવા ગયા હતા.
ત્રણ દિવસ પહેલાં જ પાર્થસારથી વડોદરાથી ઉત્તરાખંડ માટે નીકળ્યા હતા અને લગભગ દસ દિવસ બાદ ઘરે પરત ફરવાનું હતું. પરંતુ શિબિર દરમિયાન જ તેઓ સવારેલી બસ અચાનક ખીણમાં ખાબકતાં તેમનું ઘટના સ્થળે મોત થયું.
દુર્ઘટના બાદ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા વડોદરામાં પાર્થ જોશીના ઘરે કલેક્ટર કચેરીની ટીમ પહોંચી પરિવારજનોને સાંત્વના આપી હતી.

