વિસાવદર થી થોડીક દૂર આવેલું ઓજત ખંભાળિયા ગામે ગઈકાલે દલિત યુવાનો ઉપર વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો થયો હતો જેમાં ખંભાળિયા ગામના દલિત જીવણભાઈ તેમજ અન્ય એક યુવાન સાગર મકવાણા રહે માંગનાથ પીપળી ઉપર નજીવી બાબતે મોઢું ધોવા તેમજ મૂછો ન ચડાવવા અને જાતિ ભેદ રાખી ચાવંડ તેમજ ઉમરાળા ના વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ ખંભાળિયા ગામમાં થોડા સમય પહેલા દલિત સરપંચના પતિ ઉપર પણ હુમલો કરી હત્યા નીપજાવવામાં આવી હતી આવી રીતે આ ગામમાં અવારનવાર દલિતો ઉપર હુમલા થાય છે ત્યારે હાલની સરકાર દલિતો પીડિતોને રક્ષણ આપવા બાબત કેટલાય બણગા ફૂકે છે હાલ અત્યારે દલિત સમાજ અત્યાચાર ભોગવી રહ્યો છે તો ક્યાં છે આ સરકાર કેમ આવા બનાવ બને છે આરોપીઓ કેમ કડકમાં કડક સજા થતી નથી આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે હાલ આ હુમલાના ભોગ બનેલા બંને વ્યક્તિઓ જુનાગઢ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ઘટના બાદ વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દલિત સમાજમાં ખળભળાટ મચી ગયો છે ક્યારે આ અત્યાચાર થશે બંધ બસ એ જ ચર્ચા થઈ રહી છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

