સાવલી પંથકમાં વધી રહેલી ગરમી વચ્ચે ગામના નાના ફળીયા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં આગ લાગી હતી, જેના કારણે ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
માહિતી મુજબ આગ એક લાઇનમાં આવેલા બે થી વધુ મકાનોમાં ફેલાઈ ગઈ હતી. આગમાં રહેણાંક મકાનોમાં રહેલી ઘરવખરી, સામાન તેમજ પશુઓ માટેનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
આ આગની ઘટનામાં ચૌહાણ ગોવિંદભાઈ મગનભાઈ, પરસોત્તમભાઈ મગનભાઈ અને જશવંતભાઈ ડાહ્યાભાઈના મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે. પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં Gujarat Police ની 112 ટીમ તેમજ મંજુસર GIDC અને Jubilant Ingrevia કંપનીના ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

