43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ખાતે તાજીયાની સ્થાપના કરવામાં આવી

સાવલી તાલુકાના.વાંકાનેર ગામ.ખાતે તાજીયા ની સ્થાપના કરવામાં આવી આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ખાતે તાજીયાની સ્થાપના કરવામાં આવી હતી હાલ મુસ્લિમ સમાજ માં મોહરમ પર્વ ચાલી રહ્યું છે તેવામાં પાંચમાં ચાંદના દિવસે મોટા ભાગના જે તાજીયા છે તેનું આગમન થતું હોય છે અને સ્થાપના પણ કરવામાં આવે છે ઇસ્લામ ધર્મના મોહરમ પર્વ નો અનોખો ઇતિહાસ છે ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મહોરમથી જ થઈ જાય છે જે નવાસાં એ રસુલ હજરત ઈમામે હુસૈન ની યાદ માં ઉજવતો આ પર્વ છેજ્યારે આજ રોજ વાકાનેર મુકામે રણા સિકંદર ભાઈ તથા રંગીતશિહ દ્વારા તાજીયા ની સ્થાપના કરવામાં આવી પાંચમાં ચાંદ ના દિવસે ડીજેના તાલે જુલુસ કાઢવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ડીજેના તાલે પીટણી રમીને તાજીયાની સ્થાપના કરાઈ હતી ત્યારબાદ નિયાઝ ખવડાવવામાં આવી હતી ત્યારે આજે વાંકાનેર ખાતે કોમી એકતા ની વિશાલ જોવા મળી હતી હુસેની ચોકમાં દર વર્ષની જેમ હિન્દુ મુસ્લિમ એકતા સાથે મહોરમ પર્વ ઉજવવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ ,તેમજ સાવલી 135 વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદાર ના નાના ભાઈ સંદીપ ઇનામદાર, તેમજ ગોઠડા પૂર્વ સરપંચ સૈયદ મોહમ્મદ અલી ગરાસીયા સમાજના પ્રમુખ રણા નટવરસિંહ અને જાકીરભાઇ વકીલ, વોહરા લાલાભાઇ, અને ટીનાભાઇ મલેક વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોનું આભાર વ્યક્ત કર્યો હતો

Related posts

ડભોઇ તાલુકા વહીવટી તંત્ર ડભોઇ તેમજ એસ ડી આર એફ વડોદરા ના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ ચાંદોદ ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ શિબિર યોજાઈ

admin

કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શન

admin

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં વર્ષોથી અડીખમ જુનું વૃક્ષ ધરાશાયી થયું

admin

Leave a Comment