ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર નજીક સિસૌના ફ્લાયઓવર પર ગુજરાતના યુવાનોની ઇનોવા કાર બેકાબૂ થઈ 30 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી જેમાં કારમાં સવાર પાંચ મિત્રોમાંથી અમિત,વિપુલ,ભરત અને કરણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે કારચાલક જીગર ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કારમાં બેઠેલા યુવાનોમાં કોઈએ પણ સીટબેલ્ટ પહેર્યા ન હતા,જેના કારણે અકસ્માત સમયે એરબેગ પણ ખૂલી ન શક્યા. કેદારનાથ યાત્રા દરમ્યાન થયેલો આ દુર્ઘટનાકારક અકસ્માત એ દુખદ પરિસ્થિતિ સર્જી ગઇ છે.

