બ્રહ્માકુમારી ગુજરાત દ્વારા હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રહ્માકુમારીઝ વડોદરાના વિજયનગર સેવા કેન્દ્રમાંથી પણ આજે સવારે સાત કલાકે શાંતિ યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં વિજયનગર સેન્ટરથી શરૂ થઈને એપાર્ટમેન્ટ સંગમ ચાર રસ્તા શ્રી કાશી વિશ્વનાથ મંદિરની પરિક્રમા કરીને એસબીઆઇ બેન્ક વિજયનગર ખાતે સંપન્ન થઈ હતી.બ્રહ્માકુમાર બ્રહ્માકુમારી ભાઈ બહેનોએ ખૂબ જ ઉમંગ ઉત્સાહ સાથે શાંતિ યાત્રામાં જોડાઈને પરમાત્માની યાદમાં આખા વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવ્યા હતા. અને સર્વને સંદેશ આપ્યો હતો કે દુઃખ અશાંતિ તનાવ ડરથી મુક્ત થવાનો એક જ મંત્ર છે શાંતિ.

