Genius Daily News
ભરુચભરુચ જિલ્લો

કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા

ભરૂચ શહેરને અડીને આવેલા નંદેલાવ ગામની એક સોસાયટીમાં કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે

ભરૂચ શહેરને અડીને આવેલ નંદેલાવ ગામે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયમાં B-13 નંબરના મકાનમાં રહેતા રાજસ્થાની મૂળના અને કેટરર્સનો વ્યવસાય કરતા પ્રકાશ માલીની અજાણ્યા શખ્સોએ ગળે ટુંપો આપી હત્યા કરી દીધી હતી તેમનો મૃતદેહ હાથ પગ બાંદહેલી હાલતમાં રૂમમાંથી જ મળી આવ્યો હતો.
પ્રકાશ માલીની શ્રી રામદેવ પીર કેટરર્સ નામે કેટરિંગનો વ્યવસાય કરતા હતા. બનાવની ગંભીરતા સમજી ભરૂચ વિભાગીય પોલીસવડા સી.કે.પટેલ, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશયલ ઓપરેશન ગ્રુપ અને એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા હતા. જોકે હત્યારાઓ ડીવીઆર કાઢી ફરાર થઈ ગયા હતા.આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકના પરિવારજનો છેલ્લા ચાર દિવસથી તેમના વતનમાં ગયા હતા આ દરમિયાન રાજુ અને અન્ય એક ઈસમ પણ મૃતક સાથે રહેતો હતો ત્યારે તેમણે લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ભરૂચ એલસીબીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શિશુ ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ બે આરોપીને કાપોદ્રા ગામમાંથી ઝડપી પાડ્યા

admin

ભરૂચમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટનામાં ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘાલ્યો હોવાની મેડિકલ રિપોર્ટમાં સામે આવતા હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો..

admin

થ્રિ વહીલ ટેમ્પોમાં મસાલાની આડમાં ગાંજાની હેરફેર કરતાં ચાર ઇસમોને ઝડપી પાડ્યા

admin

Leave a Comment