35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુખધામ હવેલી ખાતે ચામડીના રોગોનો નિદાન કેમ્પ યોજાયો.

તૃતીય પીઠાધીશ્વર ‌ વૈષ્ણવો ના સરકાર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી ના વાકપતિ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાપીઠ ના નેજા હેઠળ શૈક્ષણિક ,સામાજિક, ધાર્મિક ,આરોગ્ય લક્ષી ,અન્નક્ષેત્ર, અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે અંતર્ગત જટિલ ચામડીના રોગોના નિવારણ માટે સુખધામ હવેલી ખાતે ડોક્ટર અનિષ અરોરા ગોલ્ડ મેડાલિસ્ટ દ્વારા ચેહરાનું વિશ્લેષણ અને ડોક્ટર હેમાદ્રી પોપટ દ્વારા યુ.એસ .એફ.ડી.એ દ્વારા લેટેસ્ટ ટેકનોલોજી થી દર્દીઓને ચામડીના ખરજવું ,‌ધાધર કોઢ,વાડ ઉતારવા ખીલ ,સફેદ ડાઘ ચામડી કાળી પડી જવી વિગેરે ચામડી ને લગતા રોગોનો નિદાન કરવામાં આવ્યું હતું અને રોગના નિવારણ માટે સચોટ નિદાન કરી ઉપચાર અને સલાહ અને માર્ગદર્શન ડોક્ટર ટીમ અને તેના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું હતું આમ વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્ય લક્ષી સેવાઓ માનવીના જીવન માટે કાંટાળો તાજ બની રહ્યો છે .ત્યારે પૂજ્ય શ્રી ના આશીર્વાદ થી અવારનવાર મેડિકલ ને લગતા કેમ્પ હવેલી માં યોજાઈ રહ્યા છે. જે સકલ વૈષ્ણવ સૃષ્ટિ અન્ય સમાજના દર્દીઓ માટે આશીર્વાદ સમાન જોવા મળી રહ્યા છે.

Related posts

ગાંધી જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

સાત કાઉન્સિલરોના સસ્પેન્શન મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસે “લોલીપોપ ચોકલેટ”વિતરણ કરી અનોખો વિરોધ કર્યો

admin

BJP બક્ષીપંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘઆવીશ્ય માટે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન

admin

Leave a Comment