રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી..
ગાંધી જયંતિ 2025: મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ 2 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવામાં આવશે. સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન અને સત્ય, અહિંસા અને ન્યાયના તેમના સિદ્ધાંતોને માન આપવા માટે મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર, સ્થાઈ સમિતિ ના ચેરમેન, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય, સાથે સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

