27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના નિર્દોષ છૂટકારાથી વડોદરામાં AAP કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને કોર્ટમાંથી નિર્દોષ છૂટકારો મળતા વડોદરા શહેરમાં પાર્ટી કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

શહેરના ડેરી ડેન સર્કલ પાસે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

પાર્ટી કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે લીકર કેસ મામલે ઇડી અને સીબીઆઈ મારફતે રાજકીય દ્વેષભાવના હેઠળ ખોટા કેસો કરવામાં આવ્યા હતા. દિલ્હીની કોર્ટમાંથી નિર્દોષ ઠરતા પાર્ટી સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

શહેર પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને એકબીજાનું મોઢું મીઠું કરાવી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

આ પ્રસંગે કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે સત્યની જીત થઈ છે અને હવે પક્ષ વધુ મજબૂતી સાથે જનહિતના મુદ્દાઓ માટે કામ કરશે.

Related posts

જાણીતા ઉધોપતિ અને સમાજ સેવક ડો.જયેશ ઠકકર દ્વારા મહાન ઉદ્યોગપતિ સ્વ.રતન ટાટાને પ્રેરણાજલીનો કાર્યકમ યોજાયો

admin

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કાઉન્સિલર હરીશ પટેલ દ્વારા અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆતો

admin

વડોદરામાં 16 વર્ષની વિદ્યાર્થીની મોત પરિવારજનનો તબીબી બેદરકારીનો આક્ષેપ તપાસની માંગ

admin

Leave a Comment