સુરત શહેરમાં ધામ ધૂમ પૂર્વક ગણેશ ઉત્સવ મનાવ્યા બાદ હવે પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કૃત્રિમ તળાવ સહિત માર્ગો પર સાફ-સફાઈ હાથ ધરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સવ પ્રિય નગરી સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ધાન ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શનિવારે અંતિમ દિવસે ભાવિ ભક્તો દ્વારા પાલિકા દ્વારા ઉભા કરવામાં આવેલા કુત્રિમ તળાવમાં વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે હવે વિસર્જન પૂર્ણ થતા દર વખતની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા વિસર્જન બાદ તમામ ઝોનમાં કુલ 368 રૂટ પરથી 3,800 જેટલા સફાઈ કર્મચારીઓ 300 સુપરવાઇઝર્સ 20 ટ્રક અને મશીનરીની સાથે તેમજ 500 જેટલા વાહનો મારફતે યુદ્ધના ધોરણે સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે.

