સુરતમાં ગણપતિજીની વિસર્જન યાત્રામાં ભાગળ ચાર રસ્તા પાસે નજીવી બાબતે બબાલ થતાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા હળવો બળ પ્રયોગ કર્યો હતો.
સુરતમાં ગણપતિજીની વિસર્જન યાત્રામાં બબાલ થઈ હતી. સુરતના ભાગળ ચાર રસ્તા પર ઘર્ષણ સર્જાયું હતું. ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે આ ઘર્ષણ થયું હતું. પોલીસે ગણપતિજી નો ટ્રક આગળ લેવાનું કે કહેવા બાબતે બબાલ થઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે તેને કાબુમાં લેવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો. જેના કારણે હજારોની ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે આ થયેલી મથામણમાં પોલીસ અને ગણેશ ભક્તોને સામાન્ય ઇજાઓ થઈ હતી.

