આદિવાસી સમાજ માટે તથા આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચારના મુદ્દે આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાએ હંમેશા અવાજ ઉઠાવ્યો અને સાથે સાથે ગુજરાતના યુવાનો, વંચિતો, શોષિતો માટે પણ તેમણે હંમેશા મજબૂતી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેના કારણે તેમનો અવાજ દબાવવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવીને ખોટી રીતે જેલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. પરંતુ આજે ધારાસભ્ય ચૈતર વસાવા એક જન પ્રતિનિધિરૂપે વિધાનસભા સત્રમાં ઉપસ્થિત થયા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા આજે વિધાનસભામાં સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે ગુજરાતના યુવાનો, વંચિતો, શોષિતો અને પીડિતોનો અવાજ ઉઠાવશે.

