41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સુરસાગર તળાવ ની પાળે આવેલા હઠીલા હનુમાનજી મંદિર ખાતે 26 માર્ચથી અખંડ રામધૂનની શરૂઆત

સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં હનુમાનજીના અનેક મંદિરો છે, જેમાં હઠીલા હનુમાનજી મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. અહીં હનુમાનજીની સ્વયંભુ પ્રતિમા બિરાજમાન હોવાનું માનવામાં આવે છે. અંદાજે અઢી સો વર્ષ પહેલાં ગાયકવાડી શાસન દરમિયાન આ મંદિરનું નિર્માણ થયું હતું.

દર વર્ષે હનુમાન જયંતિ પૂર્વે એક સપ્તાહ પહેલા અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 26 માર્ચ 2026 ના રોજ સવારે 6 વાગ્યે રામધૂનનો પ્રારંભ થશે.

કાર્યક્રમ અંતર્ગત 2 એપ્રિલ 2026 ના રોજ બપોરે 4 વાગ્યે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જ દિવસે રામધૂનની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

મંદિરના મહારાજ દ્વારા વડોદરા શહેરના તમામ ભક્તોને આ પવિત્ર રામધૂનમાં જોડાઈ ભક્તિનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે

Related posts

ગોરવામાં આઇટીઆઈ પાસે લુખ્ખા તત્ત્વોનો વિડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં

admin

શ્રી કોટયર્ક પ્રભુના પ્રાગટ્ય દિન નિમિત્તે મહાપ્રસાદનું ઇન્દ્રપ્રસ્થનું રસોડું પરથી વિતરણ

admin

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ડીવાઈડર વચ્ચે નાખેલ પથ્થરો માં થયેલ ભ્રષ્ટાચારને લઈને મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર

admin

Leave a Comment