જેતપુર પાવી તાલુકા ખાતે આવેલ ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઇસ્કુલ પાવીજેતપુર ખાતે ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીબી સુપરવાઇઝર શ્રી વિનોદભાઈ ડી વણકર ,MTS શ્રી જીગ્નેશ ભાઈ સુતરીયા,CHO ઠાકોર કિશન કુમારી એસ MPHW પ્રકાશભાઈ મકવાણા FHW સંગીતાબેન , વીણાબેન અને, આશા મંજુલાબેન અને હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચંપકભાઈ કે રાઠવા તેમજ તમામ શિક્ષક સ્ટાફ અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ શાળામા ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ ડી વણકર દ્વારા વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયાથી ખાંસી આવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થવો સાંજના સમયે ઝીણો ઝીણો તાવ આવો ગળફામાં લોહી પડવું નિદાન માં એક્સરે ની તપાસ કરવી ગળફાની તપાસ કરાવી સારવાર અને નીક્ષય પોષણ યોજના હેઠળ આપવામાં આવતી સહાય અને ટીબી મુક્ત ભારત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી નું આયોજન પણ થયું હતું જેમાં વિજેતા વિદ્યાર્થી ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મેલેરિયા વાહક જન્ય રોગ વિશે અને પોરા દર્શન તેમજ રસીકરણ માટેની પણ માહિતી આપવામાં આવી આ રીતે સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

