બોડેલી આસપાસના મેરિયા અને ઓરસંગ બ્રીજ ભારે વાહનોની અવર-જવર બંધ થતાં વેપારીઓના ધંધા પર સીધી અસર વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું અને સાંસદ જશુભાઈ રાઠવા સમક્ષ પણ રજૂઆત કરી.
છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના બ્રીજો ભારધારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે તેમાં બોડેલી નજીકના મેરિયા અને ઓરસંગ બ્રીજ પણ છે, જે છેલ્લા બે મહિનાથી બંધ છે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ બાદ રિપેરીંગનું કામ ચાલુ છે, પરંતુ હજુ સુધી ટ્રાફિક બંધ હોવાથી વેપાર ધંધા પર ભારે અસર પડી રહી છે.
વેપારીઓએ જિલ્લા કલેક્ટર ગાર્ગીબેન જૈનને આવેદન આપી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી છે સાથે જ બોડેલી ખાતે આવેલા સાંસદ જશુભાઈ રાઠવા સમક્ષ પણ પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી.

