છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઇ નદી નાળા ને ભારે નુકશાન થયું છે. લોકોને અવર જવર કરવા માટે લોકોને હાલકી પડી રહી છે. વિકાસના કામો પણ અધૂરા હોઈ તેને લઇ લોકોને હાલાકી પડી રહી છે.તેવા મુદ્દા સાથે કોંગ્રેસના કાર્યકરોએ સહી ઝુંબેશનો કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતતા આવી અને લોકોની સમસ્યા દૂર થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તે માટે સરકાર નું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવ માં આવી રહ્યો છે.
રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઇ ભારે નુકશાની વેઠવાનો વારો લોકોને આવ્યો. ત્યારે છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત નથી રહ્યો. ભારે વરસાદને લઇ નદી પર નાળાનું અને બ્રીજોનું ભારે નુકશાન થયું છે.છોટાઉદેપુર જિલ્લા માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56 કે જે પાવીજેતપુર તાલુકા માંથી પસાર થઈ રહ્યો છે. આ જ માર્ગ ઉપર ભારજ નદી ઉપરનો બ્રિજ ગયા વર્ષે નદીમાં પુર આવવવાથી બે પાયા બેસી ગયા હતા. જે બ્રિજ ભારજ નદીમાં ભારે પાણી આવવવાંથી બે ભાગમાં વહેચાઈ ગયો. જેથી હવે આ બ્રિજ પરથી રાહદારીઓ માટે અવર જવર કરવા માટે બંધ કરવામાં આવ્યો છે.માર્ગ બંધ થતા હવે લોકોને 30થી કિમીનો ફેરવો લગાવવા નો વારો આવ્યો છે.
ગયા વર્ષે બ્રિજના બે પાયા બેસી જતા ગયા વર્ષે તંત્ર તરફ થી ડાયવર્જન 2.39 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો પણ ફક્ત ચાર માસ માં વરસાદી પાણી માં ડાયવર્જન પાણીમાં વહી ગયું . સરકાર ના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા. આવા અનેક જગ્યા એ બ્રિજો આવેલ છે. તે બ્રીજોનું આયુષ્ય પૂરું થયું છે..જે પણ જોખમી બની ગયા ગયા છે. કેટલાક કોજવે પણ ધોવાયા હોઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિકાસ લક્ષી કેટલીક સેવાનો પણ અભાવ એમ વિધાન સભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું. આદિવાસી અગ્રણી પ્રો.અર્જૂન રાઠવાએ સરકાર પર આક્ષેપો લગાવી રહ્યા છે .આદિજાતિ વિભાગની શાળામાં અભ્યાસ કરતા બાળકો ને યોગ્ય અને પોષણ સમ આહાર આપવામાં આવ્યો નથી. બાળકોને સાયકલો આપવાની યોજનાથી બાળકો વંચિત રહ્યા છે. અને તે સાયકલો કાટ ખાઈ રહી છે.તેવા અનેક મુદ્દાને લઇ સરકારના કાન ખોલવા માટે આજ રોજ સહી અભ્યાન કોંગ્રેસ તરફ થી ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાહદારઓ પૂરી સંમતિ આપી રહ્યા છે.

