વડોદરા શહેરમાં આવેલ વિનાશક પૂર બાદ રાજ્ય સરકારે સહાય અંતર્ગત કેશડોલ આપવાની શરૂઆત કરી છે. અને ઘણા પૂરગ્રસ્તોને કેશડોલની સહાય મળી ગઈ છે. ત્યારે સોમાતળાવ પાસે આવેલ કૃષ્ણાનગર વસાહતના રહીશો આજે કેશડોલની માંગણી સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. અને સહાયમાં ભેદભાવના આક્ષેપ પણ કર્યા છે.

