જેમાં તેઓને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા. મૂળ ડભોઈ તાલુકાના ચાંદોદ જન્મભૂમિ અને ડભોઇ દર્ભાવતીના ભાણેજ અને કૃષ્ણ ભગવાન ના ભક્ત અને સમગ્ર ગુજરાતમાં ગરબી તેમજ પદો થી અને કૃષ્ણ ભગવાનની ભક્તિથી પ્રખ્યાત થયેલા કવિ દયારામ શ્રી ને 247 મી જન્મ જયંતી નિમિત્તે ડભોઇ દયારામ હાઇસ્કુલ ખાતે તેઓની યાદમાં સંસ્થાના પ્રમુખશ્રી દીપકભાઈ ભોઈવાલા અને શાળાના આચાર્યશ્રી સુનીલભાઈ રાઠવા, યોગેશભાઈ પટેલ, અનિલભાઈ ચાવડા , લાલજીભાઈ ચૌધરી,જયશ્રી બેન ગજ્જર, આશાબેન કાપડીયા, વૈષ્ણવી બેન શુક્લ અને શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હતો. જેમાં બાળકોએ સુંદર રીતે ગરબી ના પદો ને નૃત્ય રૂપે રજૂ કર્યું. શિક્ષકશ્રીઓ દ્વારા પ્રવચન રજૂ કર્યું.આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ત્યારબાદ તેઓની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું હતું.

