ડભોઇના સરિતા બ્રિજ પર આજે સવારે ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ આ ઘટનાએ સ્ટેટ હાઇવે વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે ઘટનાની વિગત: કાર ડિવાઇડર પર ચડી ગઈઆજે વહેલી સવારે બનેલી આ ઘટનામાં કાર અને બાઇક સામસામે અથડાયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે કાર સીધી ડિવાઇડર પર ચડી ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી અને બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.
જોકે, વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.શા માટે વારંવાર સર્જાય છે અકસ્માત સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, આ બ્રિજ પર અકસ્માત થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે સૂચના બોર્ડનો અભાવ: બ્રિજ પર કોઈ પણ પ્રકારના સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા નથી રેડિયમનો અભાવ: રાત્રિના સમયે વાહનચાલકોને ડિવાઇડર કે વળાંક દેખાય તે માટે કોઈ રેડિયમ સ્ટ્રીપ્સ કે રિફ્લેક્ટર લગાવ્યા નથી અધૂરી કામગીરી: કોન્ટ્રાક્ટર અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ કામ પૂરું થયા બાદ જાણે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેતા હોય તેવું લાગી રહ્યું છે.
”તંત્ર માત્ર કાગળ પર કામ પૂરું બતાવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સુરક્ષાની કોઈ સુવિધા નથી. શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે સ્થાનિક નાગરિકનો આક્રોશ
લોકોની માંગનગરજનો અને વાહનચાલકોની એક જ માંગ છે કે તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે બ્રિજની બંને બાજુ સ્પષ્ટ સૂચના બોર્ડ લગાવવામાં આવે ડિવાઇડર અને સાઇડમાં રેડિયમ અને રિફ્લેક્ટર્સ લગાડવામાં આવે જેથી રાત્રે અકસ્માત રોકી શકાય.
બેદરકાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે.
હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ અકસ્માત બાદ જાગે છે કે પછી જનતાએ હજુ પણ જોખમી મુસાફરી કરવા મજબૂર રહેવું પડશે.

