વડોદરા શહેરમાં ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને અબોલા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલ ચાર રસ્તા નજીક માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માહિતી મુજબ મંડળી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાના દિવસોમાં અબોલા પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે. દિવસેને દિવસે વધતી ગરમીને કારણે મનુષ્યો સાથે સાથે પક્ષીઓ પણ પાણી માટે વલખા મારતા હોય છે, ત્યારે આ પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.
આ સેવા કાર્ય દરમિયાન મંડળીના અધ્યક્ષ સહિત બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.
સ્થાનિક લોકોએ પણ આ પહેલની પ્રશંસા કરી હતી અને અબોલા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એક સારા સામાજિક સંદેશ સમાન હોવાનું જણાવ્યું હતું

