Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

આગ લાગતાં છ મકાનો ભસ્મી ભૂત 11 દિવસ વીતી જવા છતાંય કેસડોલ જેવી સહાય ન આપી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકૂવા ગામે છ મકાનો માં આગ લાગતાં મકાનો ભસ્મી ભૂત થયા હતા. 11 દિવસ વીતી જવા છતાંય તંત્ર ના અધિકારીઓએ કેસડોલ જેવી સહાય ભોગ બનેલા પરીવારનો ને ના આપી.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકુવા ગામે છ મકાનો આગ ની ચપેટ માં આવતા ઘરની તમામ ઘરવખરી સોનાચાંદી ના દાગીના રોકડ રકમ આગ માં ભસ્મી ભૂત થઈ ગઈ હતી. આ પરિવારો હાલ નીચે ધરતી અને ઉપર આકાશના સહારે જીવી રહ્યા છે. જ્યારે આગ લાગવાની ઘટના બની ત્યારે સમયસર ફાયર ફાઈતર ના આવતા ઘર માંથી કોઈ પણ વસ્તુ બચાવી શકાયયા ના હતા. જ્યારે 11 દિવસ વીતી જવા છતાંય તંત્ર ના અધિકારીઓએ આ પરીવારનો કેશડોલ ની સહાય પણ ચૂકવી નથી જ્યારે કેશ ડોલ ચુકવવા માટે આ પરિવારો પાસે આધારકાર્ડ. તેમજ રેશનકાર્ડ તંત્રના અધીકારીઓ માંગે છે. જ્યારે આ પરિવારો ના સમગ્ર ડોક્યુમેન્ટ આગમાં બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે આ પરિવાર ક્યાંથી ડોક્યુમેન્ટ લાવે જ્યારે હાલ આ પરિવારો એક બીજાના સહારે દિવસો વિતાવી રહ્યા છે. તંત્ર દ્વાર વહેલી તકે આ પરીવારને મદદ કરવામાં આવે તેવી માંગ ભોગ બનેલા પરીવારજનો કરી રહ્યા છે.

Related posts

જનસેવા ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી બ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું

admin

મોડાસર ચોકડીથી બોડેલી આવતા વિદ્યાર્થીઓ માટે મીની એસ.ટી. બસની વ્યવસ્થા

admin

કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 75માં છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2024ની ઉજવણી

admin

Leave a Comment