વડોદરા શહેરના મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતેથી ભગવાન શ્રી પરશુરામજી ને જન્મ જયંતી નિમિત્તે રાજસ્થાની સમાજ અધ્યક્ષ ભવરલાલ ગૌડ, મુખ્ય મહામંત્રી મદન શર્મા તથા આર્ય ભ્રમણ સમાજના અગ્રણીઓની આગેવાનીમાં આજે ભવ્ય રેલી યોજાઇ હતી. શહેરના રાજમાર્ગ ઉપર ફરીને કાશી વિશ્વનાથ મંદિર ખાતે પહોંચી હતી રેલી દરમિયાન જય પરશુરામજી ના જય ઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું હજારોની સંખ્યામાં ભક્તો સેવકો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પહેલગામ માં થયેલા આંતકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલા મૃતાત્મા ઓને આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

