છેલ્લા 15 વર્ષથી જીએસએફસી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને છૂટા કરી કોર્ટનું ઉલ્લંઘન કર્યાના આક્ષેપ સાથે આજે કર્મચારીઓએ કંપનીના ગેટની બહાર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
જી એસ એફ સી કંપનીમાં છેલ્લા દસ-બાર વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને એકાએક છુટા કરી દેવામાં આવ્યા છે. તેઓને પગાર પણ આપવામાં આવ્યો નથી જેથી કર્મચારીઓની હાલત કફોડી બની છે. જોકે આ કર્મચારીઓનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. તેમ છતાં પણ કંપનીએ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યાના આક્ષેપો સાથે આજે ઔદ્યોગિક ન્યાય પંચ ગુજરાતની આગેવાનીમાં કર્મચારીઓએ કંપનીના ગેટ બહાર કંપની મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ અંગે ઔદ્યોગિક પંચના આગેવાનને કર્મચારીઓના અન્યાય સામે ન્યાયની માગ કરી છે અને ન્યાય મળવો જોઈએ તેવી કંપનીના મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરી છે વધુમાં ઔદ્યોગિક નાયક પંચના આગેવાને આજે વિરોધ પ્રદર્શન દરમિયાન જણાવ્યું હતું કે….

