વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ એકના કાઉન્સિલર જહા ભરવાડે વિસ્તારના અને શહેરના અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરી સવાલો પૂછ્યા હતા.
ખાસ કરીને તાજેતરમાં ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે કમિશનર તરફથી લેવામાં આવેલ પગલા બાબતે કમિશનરનો આભાર માન્યો હતો સાથે તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર કામ સ્થાયી સમિતિમાં પાસ કરવામાં આવ્યું છે જેથી સમિતિના તમામ સભ્યો સામે પણ પગલાં લેવા જોઈએ. આ સાથે સ્મશાનના મુદ્દે જે વાર્ષિક ઇજારાથી સ્મશાનો આપવામાં આવ્યા છે તેની જગ્યાએ સંસ્થાઓને ફરીથી સોંપવા જોઈએ. એવી રજૂઆત કરી હતી.

