નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નવરાત્રી મહોત્સવને લઇને વડોદરા શહેરમાં માહોલ જામી ચૂક્યો છે. નવરાત્રી દરમિયાન કેટલાક ભક્તો પોતાના ઘરે ગરબી બેસાડતા હોય છે. ત્યારે હાલ વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ જોવા મળી રહિ છે. કુંભાર દ્વારા માટીમાંથી ગરબીઓ તૈયાર કરી તેને રંગવામા આવે છે. ત્યારબાદ મહિલા કલાકારો દ્વારા જુદા જુદા રંગો વડે ડિઝાઇન, ટીલડા તથા લેસ પટ્ટી લગાવી આ ગરબીઓને શણગારવામાં આવે છે. જુદી જુદી સાઇઝની અને અવનવી ડિઝાઇનો વાળી ગરબીઓઍ હાલ ગ્રાહકોમાં પણ અનોખુ આકર્ષણ જમાવ્યું છે. સાથે જ આ વર્ષે વેપારી દ્વારા દરવાજા વાળી અનોખી ગરબી તૈયાર કરવામા આવી છે. જેમા દરવાજા ખુલે છે. આ ગરબી પણ ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહિ છે.
next post

