વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલ કેતન ફાર્મ પર બરોડા ડેરી મુદ્દે ધારાસભ્ય કેતન ઇનામદારના સમ્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર તેમજ સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો સાથે બેઠક યોજી આગામી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેતન ઇનામદારે બરોડા ડેરી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો કોઈ ગેરરીતિ થઈ હોય તો સરકાર તેને ચલાવી લેવા માંગતી નથી. ઓડિટ દરમિયાન તમામ હકીકતો બહાર આવી ગઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ક્ષતિ રહેવી એ ખોટું કરેલું કૃત્ય છે અને ગંભીર ભૂલ કરનારને તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
આગામી સમયમાં બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનશે તેવી આશા પણ કેતન ઇનામદારે વ્યક્ત કરી હતી.

