વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જંબુબેટ રામ વે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરતી ગટરો નું ઉભરાતું દૂષિત પાણી ને લઈને સ્થાનિક લોકોએ અને એક વખત તારીખ નગર સેવકો અને પાલિકાના અધિકારીઓને ટેલીફોનિક જાણ કરી છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી આ દૂષિત પાણી ના કારણે લોકો બીમારીમાં સપડાયા છે. દૂષિત ઉભરાતુ ગટરનું પાણી ને લઈને લોકોને આવા જવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાં પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી પણ રહે છે પરંતુ તેઓ દ્વારા આ વિસ્તારમાં ધ્યાન આપવામાં આવતું નથી સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી છતાં અહીં કોઈપણ અધિકારી કે કર્મચારી ધ્યાન આપતા નથી અને થોડા દિવસ અગાઉ આવ વિસ્તારમાં સ્મશાન થયું હતું તે પરિવારને પણ આવા દૂષિત પાણીમાંથી જવું પડ્યું હતું. આ સમસ્યા વહેલી તકે દૂર કરવાની માંગ કરી

