હરણી વારસિયા રીંગ રોડ વડોદરા ખાતે ગુરુકુળ વિદ્યાલય ખાતે આજરોજ વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ નંદ મહોત્સવ ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને મનોરંજનના માધ્યમથી ધાર્મિક અને આધ્યામીતિક જ્ઞાન મળી રહે તેવા ઉમદા ઉપદેશથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નંદ મહોત્સવના ઉજવણીના ભાગરૂપે શાળાના બાલવાડીથી ધોરણ 12 ના 300 થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા ગરબા .મટકી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈ મહાભારત સુધીની યાત્રાને સબંધિત નૃત્ય નાટિકા સ્વરૂપે રજુ કરી ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા નંદ મહોત્સવની ઉજવણી પ્રસંગે શાળાના ડાયરેક્ટર શ્રી દિનેશ પંડ્યા .જુનિયર ડાયરેક્ટર શ્રી શૈલ પંડ્યા. આચાર્યશ્રી કૈલાશ ખેર તથા શિક્ષક મિત્રો ની ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા

