આજકાલ વધતા જતાં પ્રદૂષણને નાથવા તથા પર્યાવરણના રક્ષણ માટે ખૂબ જરૂરી બની ગયું છે. પ્રદકષણની સમસ્યા હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે વર્ષ-2020-21 મા શહેરના મકરપુરા ખાતે ન્યૂ એનર્જી પ્રા.લિ.નામની કંપની સ્થાપવામાં આવી હતી જેની બાજુમાં જ આજરોજ યુ.એસ. ની ડાયના પાવર કંપની સાથે મળીને ન્યૂવેન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું શુભારંભ કરવામાં આવ્યું હતું આ કંપની ની પ્રોડક્ટ પાવર ઇલેક્ટ્રોનિક્સ તૈયાર કરવાનું છે જેમાં ખાસ કરીને કન્વર્ટર , મલ્ટિપલ સેગમેન્ટમાં પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે ્ જેનાથી 80% પ્રદૂષણમાં ઘટાડો થઈ શકશે ભારતની આ પ્રથમ એવી કંપની હશે જેમાં આ પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરવામાં આવશે. આમાં તમામ પ્રકારના ટેકનોલોજી સોલ્યુશન પણ મળી શકશે અને ખાસ કરીને દેશની મુખ્ય સમસ્યા પ્રદૂષણમા આ પ્રોડક્ટ ખૂબ ઉપયોગી સાબિત થશે.

