Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુરુ નાનક જયંતિ નિમિત્તે સંતો મહંતો સાથે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

ગુરુ નાનક 557 જયંતિ જે સમગ્ર દેશભરમાં ખૂબ ધૂમધામ થી યોજવામાં આવે છે જ્યારે આજરોજ ખંડેરાવ માર્કેટ નાનકવાડી થ્રી ગુરુ નાનક જયંતિ નિમિત્તે સંતો મહંતો સાથે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી….
વડોદરા શહેર ખંડેરાવ માર્કેટ આવેલ ગુરુદ્વારા ખાતે શ્રી ગુરુ નાનકજી ની 557 માં પ્રકાશ પર્વ નિમિત્તે સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ શીખ સમુદાય દ્વારા શ્રી ગુરુ નાનક દેવની 557 માં પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે વડોદરા શહેરમાં ભવ્ય પાલખી કાઢવામાં આવી હતી. કળિયુગના અવતાર એવા અશિક ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાના દેવના 557 માં પ્રકાશ પર્વ નિમિત્તે વડોદરા શહેર ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ઐતિહાસિક ગુરુ દ્વારા ગુરુદ્વારા નાનકવાડી ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સાથે સીખ ધર્મના ગુરુ અને યુવાનો મહિલાઓ અને બાળકો આ પાલખીયાત્રામાં જોડાયા હતા સાથે આ પાલખી યાત્રા ખંડેરા માર્કેટ થી નીકળી હતી અને રાજમહેલ રોડ, જુબેલી બાગ, રાવપુરા, કોઠી, કાલાઘોડા, ફતેગંજ, થઈ ને છાણી ખાતે આવેલ ગુરુ દ્વારા ખાતે સમાપન થશે. અને આ પાલખી યાત્રા માં શીખ સમુદાયની મહિલાઓ દ્રારા રોડની સાફ સફાઈ કરવામાં આવી હતી સાથે આગામી પાંચ નવેમ્બર ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુરુદ્વારા ખાતે લંગર નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના તમામ લોકોને દર્શન અને લંગર નો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Related posts

ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઈન રોડ પર ગટરના ગંદા પાણીની રેલમછેલ નગરપાલિકાની ઘોર બેદરકારી

admin

વડોદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ તથા ટુ વ્હીલર તથા હેલ્મેટ પહેરવા માટે જાગૃતતા આવે તે માટે અપીલ કરવામાં આવી

admin

સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂરી

admin

Leave a Comment