30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરીકોને પણ આપવા બાબતે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા નિવાસી કલેકટરને આવેદન પત્ર

આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકચકી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે. આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઇ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઉંચો છે, નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે, ખેડૂતો ખેતી છોડવા માટે મજબુર થઇ રહ્યા છે, દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે.
આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે પણ એમ છતાંય દિલ્લીમાં છેલ્લા દસ વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વિજળી, પાણી, વગેરે જેવી પાયાની જરૂરીયાતો વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે. પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્લીના નાગરિકોને આપવામાં આવી રહી છે. હવેથી તો દરેક મહિલાને દર મહીને 2100 રૂપિયા પણ આપવામાં આવશે.ત્યારે દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરીકોને પણ આપવામાં આવે તેવી માંગ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ખાતે જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન આપતા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર

admin

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની નામાંકિત સનરાઈઝ શાળામાં શિક્ષક દિનની ધામધૂમ પૂર્વક ઉજવણી

admin

પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

admin

Leave a Comment