.આજે ગુજરાત ભાવનગરના પ્રવાસે આવેલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જનહીત ના અનેક પ્રોજેકટ ના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાહતા જેમાં સાવલીતાલુકાના વસંતપુરા ગામ પાસે આવેલ વરનોલ ગામ ની સીમ માં સ્થાનિક ધારાસભ્ય અને જેટકો ના અધિકારીઓ સહિત ની ઉપસ્થિતી માં સોલાર પ્લાન્ટ નું ઇ શિલાન્યાસ કર્યું
દેશ ના વડાપ્રધાને ભાવનગર માં જંગી જનમેદની ની ઉપસ્થિતી માં ગુજરાત ના અલગઅલગ વિસ્તારોમાં 33 હજાર,600 કરોડ ના વિવિધ વિકાસ ના કામો નું ઇ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યુંહતું જેનો લાભ વડોદરા જિલ્લા સાવલીતાલુકાના વસંતપુરા પાસેના વરનોલ ગામે 2047 માં ભારતદેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા ની દિશામાં એક પગલું સમાન 100 મેઘાવોટ નો સોલારપ્લાન્ટ,(નવીનીકૃત ઉર્જા પ્રોજેકટ) નું ઇ શિલાન્યાસ ધારાસભ્ય કેતન ઇનામદાર ની ઉપસ્થિતી માં કરાયું આ વિકાસના શુભપ્રસંગે જિલ્લાપંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા.તાલુકાપંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી. પ્રાંતઅધિકારી. મામલતદાર, સહિત વીજવિભાગના અધિકારીઓ અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યાંહતાં

