વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે. સિંધી સમાજનો ચાલિયા મહોત્સવ ચાલી રહ્યો છે. ચાલીસ દિવસ સુધી ચાલનારા આ ચાલિયા મહોત્સવને પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સિંધી સમાજના આગેવાનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજરોજ વારસિયા વિસ્તારના કરમચંદાની હોલ ખાતે ચક્કરભાઠા થી સતગુરુ સાંઈ લાલદાસ સાહેબજી પધાર્યા હતા. સતગુરુ સાંઇ આગા સાહેબજી દ્વારા આજરોજ સત્સંગ કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

