સરદાર પટેલ@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું વડોદરા શહેરમાં બીજા દિવસે જન સેલાબ સાથે નીકળી. સરદાર પટેલ ની 150 મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે કરમસદ થી એકતાનગર સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા વડોદરા શહેરમાં બીજા દિવસે વડોદરા શહેર દાંડિયા બજાર થી પ્રસ્થાન કરવામાં આવી હતી આપ્યાત રામા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એ પણ પદયાત્રામાં ભાગ લીધો હતો આ પદયાત્રા વડોદરા શહેર દાંડિયા બજાર પાસેથી નીકળી હતી આ પદયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાનિક નગરસેવકો પણ પદયાત્રામાં જોડાયા હતા. નવલખી ગ્રાઉન્ડથી યાત્રા ફરી શરૂ થશે, દાંડિયા બજાર, કિર્તિસ્તંભ, રાજમહેલ રોડ, લાલબાગ, માણેજા, જાંબુવા માર્ગે આગળ વધશે. બપોરે 12:30 થી 3 વાગ્યા સુધી આઇડિયલ સ્કૂલ ખાતે વિશ્રામ બાદ નેશનલ હાઈવે થી આલમગીર-બાબરીયા કોલેજ માર્ગે આગળ પ્રસ્થાન થશે. તા. 1 ડિસેમ્બર 2025ના રોજ સવારે 8:40 વાગ્યે ત્રિમંદિરથી આરંભ કરી વરણામા-પોર માર્ગે યાત્રાનો આગળનો તબક્કો પૂર્ણ થશે.

