37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આગામી રવિવારે ‘શિવજી કી સવારી’નું આયોજન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત

મહાશિવરાત્રી નિમિત્તે શહેરમાં આગામી રવિવારે પરંપરાગત ‘શિવજી કી સવારી’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે.

મળતી માહિતી મુજબ અમિત શાહ સાંજે અંદાજે 6 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આગમન કરશે. ત્યારબાદ તેઓ સીધા સુરસાગર તળાવ ખાતે પહોંચશે, જ્યાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવ મંદિરે યોજાનારી મહા આરતીમાં ભાગ લેશે.

મહા આરતી પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈ તંત્ર દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે તેમજ નાગરિકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

આ કાર્યક્રમને લઈને શહેરમાં ધાર્મિક અને રાજકીય બંને સ્તરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

કોંગ્રેસના કાઉન્સિલર બાળું સુર્વે દ્વારા વિસ્તારના પ્રશ્નો મુદ્દે સભામાં રજૂઆતો

admin

કાંસને અડીને બનાવેલી ત્રણ માળની ઈમારત દૂર કરવાની કાર્યવાહી શરૂ

admin

ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અતિ મહત્ત્વના ડભોઇ-શિનોર ચોકડી માર્ગ પર રસ્તાના કામનાં મશીનોથી ટ્રાફિક જામ

admin

Leave a Comment