વડોદરા માટે આજે ખુબ મોટા સમાચાર આવ્યા છે.વડોદરાની મુલાકાતે આવેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેશન ગરનાળા પર બ્રિજ બનશે તેવી જાહેરાત કરી છે.ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ સ્ટેશનનું ગરનાળું ભરાઈ જવાથી બંધ કરવું પડે છે જેને લઇ લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે ત્યારે મુખ્યમંત્રીની જાહેરાતથી આવનારા દિવસોમાં પૂર્વને પશ્ચિમ સાથે હવે વરસાદ પણ વખુટ્યું નહિ પાડી શકે !

