43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકારરૂપી રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવ્યો

ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા છેલ્લા 45 વર્ષથી રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ રાવણ દહન થનાર છે જેને ભાગરૂપે મકરપુરા જીઆઇડીસી ખાતે રાવન તૈયાર કરવામાં આવી રહ્યો છે
વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકારરૂપી રાવણના પુતળા ને આખરી ઓપ આપવામાં આવ્યો રહ્યો છે વડોદરામાં આવેલા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા મેદાનમાં રાવણ દહન કાર્યક્રમ યોજાશે. આ વર્ષે રાવણનું પૂતળું 50 ફૂટનું, મેઘદૂત અને કુંભકર્ણનું પૂતળા 40 ફૂટના બનાવ્યા છે. ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં દશેરાના પાવન પર્વે છેલ્લા 45 વર્ષથી ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. દર વર્ષે ઉત્તર ભારતના ફરજ પર આવેલા ઉચ્ચ અધિકારીઓએ ગુજરાતમાં બાળકોને સંસ્કૃતિની સમજ મળી રહે, તે માટે વર્ષ 1981 થી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરે છે.ઉત્તર ભારતમાં નવરાત્રીમાં 11 દિવસનો કાર્યક્રમ યોજાય છે. વડોદરામાં આ વર્ષે રાવણનું પૂતળું 50 ફૂટનું, મેઘદૂત અને કુંભકર્ણનું પૂતળા 40 ફૂટના બનાવ્યા છે. જેમાં વાંસ, લાકડીઓ, દોરડાઓ, કપડાઓ, કાગળો, ચમકીલા કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પૂતળાઓ ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવે છે. તથા ખાસ આગરાથી આવેલા 22 જેટલા કારીગરો દ્વારા આ વર્ષે પણ માત્ર એક મહિના ટૂંકા ગાળામાં 50 ફૂટ ઊંચી રાવણ, કુંભકર્ણ અને મેઘરાજના પૂતળા તૈયાર કરી દેવામાં આવ્યા છે. 45 વર્ષથી આ જ પરિવાર વડોદરા આવે છે.
આ પૂતળાઓને નોમના દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે ક્રેન દ્વારા ઊભા કરવામાં આવશે.અહીં દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા અંદાજે બે લાખ જેટલા શહેરીજનો ઉમટી પડતા હોય છે. વડોદરા શહેરમાં આ જ એક માત્ર સ્થળ છે, જ્યાં વર્ષોથી રાવણ દહન અને રામલીલા ભજવાતી હોય છે.

Related posts

વડોદરા–અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ

admin

વડોદરા શહેરમાં રોડ સેફટી ડીલીનેટર બન્યા મુશ્કેલીનું કારણ સોમા તળાવ ચાર રસ્તા પર અવ્યવસ્થા

admin

વર્લ્ડ હેરિટેજ ડે પર વડોદરાનું રેલ્વે મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે

admin

Leave a Comment