ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના બાજુમાં વરસાદ વરસતા માનવસર્જિત પૂરનું નિર્માણ થયું છે.
બાજવામાં ફરી એક વખત લોકોની કફોડી હાલત થઈ છે. આસપાસની કંપનીઓ દ્વારા છોડવામાં આવતા પાણીને કારણે બાજવા અને ઉંડેરાનું તળાવ ફાટતા દર વખતે ગામોમાં પાણી ફરી વળતા હોય છે. ત્યારે આજે પણ બાજવાના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવી છે. મકાનો દુકાનોમાં પાણી પ્રવેશતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકોને પાણીમાંથી જ અવરજવર કરવાની ફરજ પડી રહી છે.બાજવા ના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.કરચિયા રોડ , સંતોષી નગર, આંબેડકર નગર સહિત શાકમાર્કેટ પાણીમાં ગરકાવ થયા છે.બાજવા ગામના નાગરિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.ત્યારે,વર્ષોની સમસ્યા હલ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.

