41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

ખેડૂતને જમીનનું વળતર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ના આપતા ગ્રામજનોએ 50 ગામોને જોડતો રસ્તો બંધ કરી દીધો

નસવાડી તાલુકાના દુગ્ધા ગામના ખેડૂતને જમીન નું વળતર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ના આપતા 50 ગામોને જોડતો રસ્તો બંધ કરી દીધો

પથ્થરો અને વીજપોલ મૂકીને રસ્તો બંધ કરી દીધો

દુગ્ધા ગામના ખેડૂત રતિલાલભાઈ ગિસિયાભાઈ ડુભીલના દાદા એ રોડ બનાવવા માટે જગ્યા આપી હતી ત્યાર બાદ જમીન સંપાદન થયા બાદ વળતર માટે આ પરિવાર ની બીજી પેઢી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહી હતી

એક માસ પહેલા પંચાયત માર્ગ મકાન વિભાગ ને ખેડૂત પરિવાર દ્વારા જમીન નું વળતર નહીં મળે તો રસ્તો બંધ કરવાની લેખિત માં રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા ખેડૂત ની રજૂઆત ધ્યાને ના લીધી અને ખેડૂતે આખરે રસ્તો બંધ કરી દીધો

50 ગામોમાં ફરજ બજાવતા શિક્ષકો સવાર ની સ્કૂલ હોવાથી 30 કિલોમીટર નો ફેરો ખાઈને શાળા એ જવા મજબૂર બન્યા છે

છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા માં ઊંઘી રહેતા આદિવાસી સમાજ ના લોકોને આંદોલન નો માર્ગ અપનાવવા મજબૂર બનવું પડે છે

20 વર્ષ થી જમીન નું વળતર આપવામાં પંચાયત માર્ગ મકાન વિભાગ ધ્યાન ના આપતા હાલ તો લોકો હેરાન થઈ રહ્યા છે

ખેડૂતે જ્યાં સુધી રસ્તા નું વળતર નહીં મળે ત્યાં સુધી રસ્તો નહીં ખુલ્લો કરે અને હાલ તો પથ્થરો અને વીજપોલ મૂકીને રસ્તો બંધ કરી દીધો છે

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની માંગને બુલંદ બનાવી.

admin

આઇસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર

admin

છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ઈંદના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ હાજરી આપી

admin

Leave a Comment