વિશ્વામિત્રી નદી પુર નિયંત્રણ સમિતિ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેવી કે
આજવા સરોવર ઊડું કરવાનું કામ :- અંદાજે ૧૦ લાખ ચો.મી. માં ૧.૫ મી. ઉંડુ કરી ૧૫ લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી
પ્રતાપપુરા સરોવર ઊંડું કરવાનું કામ :- અંદાજે ૩ લાખ ચો.મી. માં ૫ થી ૭ મી. ઉંડુ કરી ૨૦ લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી
દેણા ગામ ખાતે નવીન તળાવ બનાવવાનું કામ : અંદાજે ૫૦૦૦૦ ચો.મી. વિસ્તારમાં ૫ મી. ઉંડુ કરી ૨ લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી રેઇનવોટર હાર્વેસ્ટીંગ વેલ બનાવવાનું કામ :- અંદાજે ૬૦૦ નંગ, જેમા ૪૫૦ નાના અને ૧૫૦ નંગ મોટી કેપેસીટીના ડીપ રીચાર્જ વેલ બનાવવાના (RWI), શહેરના ૧૪ તળાવોના ડ્રેજીજીંગમાં અંદાજીત ૩ લાખ કયું.મી. માટી, શહેરના ૧૦ તળાવોના આઉટલેટની કામગીરી અને વિવિધ કાંસોમાથી અંદાજીત ૭.૫ લાખ કયુ. મી. માટી /સ્લજ કાઢવાની કામગીરી આજરોજ મેયરશ્રી, કમિશનર, ડેપ્યુટી મેયર તથા દંડક અને નગરસેવકો દ્વારા તે કામગીરી નું નિરીક્ષણ કરવા માં આવ્યું.

