વડોદરા શહેરના ચકલી સર્કલથી નંટુભાઈ સર્કલ તરફ જતાં વ્યસ્ત મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડવાની ઘટના સામે આવી છે.
અચાનક ભુવો પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.દિવસો દિવસ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ભુવા પડવાની ઘટનાઓ યથાવત ચાલી રહી છે, જેને લઈ હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વારંવાર ભુવા પડવાની ઘટનાઓથી વડોદરા મહાનગર પાલિકાની કામગીરી તેમજ માર્ગોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે.સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે માત્ર તાત્કાલિક રીપેરિંગથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ કાયમી અને મજબૂત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.એક સમયે “સંસ્કારી નગરી” તરીકે ઓળખાતું વડોદરા શહેર હવે વ્યંગાત્મક રીતે લોકોમાં “ભુવાનગરી” તરીકે ઓળખાવા લાગ્યું છે, જે તંત્ર માટે ચેતવણી સમાન છે.

