વડોદરામાં આવેલ પૂર બાદ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે,ખાસ કરીને પૂરગ્રસ્ત વડોદરામાં બોટોના અભાવને લઈને પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો ત્યારે સામાજિક યુવા આગેવાન સ્વેજલ વ્યાસે વડોદરાનું પૂર ભાજપ સર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,આ માનવ સર્જિત નહિ ભાજપ સર્જિત પૂર છે,ભાજપે વડોદરાને ડૂબાડ્યું છે,વર્ષ 2016માં કોર્પોરેશને ખરીદેલી કરોડો રૂપિયાની સ્પીડ બોટ ધૂળ ખાઈ રહી છે,કરોડો ખર્ચ વસાવેલી બોટો કોઈનો જીવ બચાવી શકી નથી
previous post

